કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબત.

મિત્રો માર્ચ ૨૦૨૦ થી દેશમાં કોરોના મહામારી એ ગંભીર રીતે આખા દેશમાં ફેલાઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ગણાબધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં આ સમયગાળા દરમિયાન ગણા બાળકોએ પોતાના માતપિતાને ગુમાવ્યા હતા. આમ આ બાળકોને પૂરતી સહાય મળી રહે તે માટે આર્થિક સહાય અને અન્ય પ્રકારની યોજનાઓનો લાભ આપવાની સરકાર દ્વારા વિચારણા હતી. આમ ઘણી વિચારણા બાદ સરકાર દ્વારા કોવિડ-૧૯ દરમિયાન પોતાના માતપિતા અવસાન પામ્યા હોય તેવા બાળકોને સહાય આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે. 

Covid 19 Anath Balako Mateni Yojana


'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' હેઠળ કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબત:


કોવિડ-૧૯ સમયગાળા દરમિયાન અનાથ બનેલ બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારીની માટે તાલીમ, લોન અને સહાય આપવા માટે "મુખ્યમંત્રી બાળસેવા યોજના" નામની જુદા જુદા વિભાગોને આવરી લેતી નવી યોજનાઓ નીચે મુજબની શરતોને આધીન અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવે છે. 

પાત્રતા:

- ૦ થી ૧૮ વર્ષના વયજૂથના બાળકોના માતા-પિતા બંનેનું કોરોના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ આવકમર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે. 

- કોરોનાના સમયગાળા પહેલા જે બાળકના માતા અને પિતાનું અવસાન થયું હોય અને તે બાળકના પાલક માતા અને પિતા (Adoptive Parents) પણ કોરોના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તો તેવા અનાથ બાળકોને પણ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. 

- જે બાળકના એક વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામે તેવા કેસમાં નિરાધાર થયેલ બાળકને પણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે. 


સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ:


૧)  સહાય પેટે દર માસે બાળક દીઠ રૂપિયા ૪૦૦૦ (ચાર હજાર) બાળક જ્યાં સુધી ૧૮ વર્ષ પૂરા ન કરે ત્યાં સુધી મળવાપાત્ર થશે. બાળક જે માસથી અનાથ થયેલ હોય તે માસથી આ સહાય મળવાપાત્ર થશે. 

૨) ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પછી જે બાળકોનો અભ્યાસ ચાલુ હોય તે બાળકને રાજ્ય સરકારની આફ્ટર કેર યોજનાનો લાભ આવકમર્યાદાના બાધ સિવાય ૨૧ વર્ષની ઉંમર સુધી મળવાપાત્ર થશે. 

૩)  ૨૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ જે યુવક અથવા યુવતીએ માન્ય અભ્યાસ ચાલુ હોય તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા તો ૨૪ વર્ષની ઉંમર પૂરી થાય એ બીમાંથી જે વહેલું હોય ત્યાં સુધી તેમને આફ્ટર કેર યોજના હેઠળ લાભ આપવામાં આવશે. 

૪)  ઉપર મુદ્દા ૨ અને ૩ માટે કોઈપણ પ્રવાહના અભ્યાસક્રમના સર્ટિ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણવામાં આવશે. વધુમાં સરકાર માન્ય ધોરણોથી આપવામાં આવતી કૌશલ્યવર્ધન તાલીમ પણ પાત્ર ગણાશે. 

૫) નિરાધાર થયેલ બાળકોને શિક્ષણ માટે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર સંચાલિત કસ્તુરબા  ગાંધી બાલિકા વિધ્યાલય (ફક્ત કન્યાઓ માટે), નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલો, સરકારી હોસ્ટેલોમાં જે તે વિભાગની નિયમાનુસારની પ્રક્રિયામાં અગ્રતા આપી પ્રવેશ આપવામાં આવશે. 

૬) આ સમયગાળા દરમિયાન નિરાધાર થયેલ કન્યાઓને તેમના લગ્ન માટે કુંવારબાઇ મામેરું યોજનાનો લાભ આવકમર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે. 

૭) અનુસુચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ અને આર્થિક પછાત વર્ગના બાળકોને સામાજિક અને ન્યાય અને અધિકારિતા વિભાગ અને અનુસુચિત જનજાતિના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરીપત્રો, નિયમોને આધીન રહીને અગ્રતાના ધોરણે મંજૂર કરવામાં આવશે. 

૮) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા બાળકોને આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે. 

૯) રાજયમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસ માટેની લોન આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય જે તે વિભાગ દ્વારા અગ્રતાના ધોરણે આપવામાં આવશે. 


શિક્ષણ વિભાગ:

૧) અનાથ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવાસ્વાવલંબન યોજનાનો લાભ આવકમર્યાદા ધ્યાને લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે. 


શ્રમ અને રોજગાર વિભાગ:

૧) ૧૪ વર્ષથી ઉપરના બાળકોને વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ અગ્રતાના ધોરણે આપવામાં આવશે. 


અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ:

૧) અનાથ બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા અધિનિયમ હેઠળના અગ્રતાના ધોરણે લાભ આપવામાં આવશે. 


આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ:

અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે. 


યોજનાની સામાન્ય શરતો: 

૧) "મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના" અમલીકરણ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની રહેશે. 

૨) માર્ચ ૨૦૨૦ થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. 

૩) જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મૂળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષથી કાયમી વસવાટ કરતું હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. 

૪) ૧૦ વર્ષથી મોટી ઉંમરના બાળકોના કેસમાં બાળકના નામનું અલગ બેન્ક એકાઉન્ટ ખોલાવીને તે ખાતામાં જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે અને જ્યારે ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકના કેસમાં અનાથ બાળકના ઉછેરની જવાબદારી જે વ્યક્તિએ ઉપાડી હોય તે વ્યક્તિ પોતાના એકલના નામે જ બેન્ક ખાતું ખોલાવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી માસિક સાહની રકમ જમા કરવામાં આવશે. ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરનું બાળક જ્યારે ૧૦ વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકનું નામનું અલગ બેન્ક એકાઉન્ટ ખોલીને તે ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જમા કરવામાં આવશે. 

૫) જો આ યોજના હેઠળ સહાય મેળવવતું બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો જ્યાં સુધી તેનું શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર થશે. 

૬) સંબંધિત જિલ્લાની Sponsorship & Foster Care Approval Committee એ અરજી મળ્યા તારીખથી સાત દિવસની અંદર અરજી મંજૂર અથવા નામંજૂર કરવાનો નિર્ણય લેવાનો રહેશે. 

૭) આ યોજનાનો લાભ લેવા માટે નિયત કરેલ અરજી પત્રકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને નિયત કરેલ દસ્તાવેજો સાથે ઓનલાઈન અથવા ઓફલાઇન અરજી કરવની રહેશે. 

૮) આ અંગેનો ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતોવખતના લાગુ પડતાં ઠરાવો અથવા પરીપત્રો અને નિયમોને આધીન રહીને કરવાનો રહેશે. 


નોંધ: આ માહિતી ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ઉપર મૂકવામાં આવેલ માહિતી મુજબ મૂકવામાં આવેલ છે. 


ઓફિશિયલ પરિપત્ર માટે અહિયાં ક્લિક કરો. 


એકવાલી ધરાવતા બાળકો માટેનું ફોર્મ


અનાથ બાળકોને સહાય માટેનું ફોર્મ 


સ્પર્ધાત્મ્ક પરિક્ષાની તૈયારી કરતાં બાળકો માટે મટિરિયલ ફ્રીમાં મેળવો.


સરકારી ભરતીની લેટેસ્ટ માહિતી માટે અહિયાં ક્લિક કરો. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ