સમિતિએ ૩૦ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ પોતાનો અહેવાલ કેન્દ્રને સોંપ્યો હતો. આખરે, તેલંગાણામાં ભારે વિરોધ અને ચૂંટણીના દબાણને કારણે, ૩ ઓક્ટોબર, ૨૦૧૩ ના રોજ યુપીએ સરકારે અલગ તેલંગાણા રાજ્યની રચનાને મંજૂરી આપી. ૨ જૂન, ૨૦૧૪ ના રોજ, તેલંગાણા દેશનું ૨૯ મુ રાજ્ય બન્યું હતું અને ચંદ્રશેખર રાવે તેના પ્રથમ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
તેલંગાણા રાજ્ય વિશે જાણવા જેવુ :
તેલંગાનાના ઇતિહાસની વાત કરીએ તો, લગભગ 230 બીસીની આસપાસ, તેના પર સાતવાહન સહિતના ઘણા શાસકો દ્વારા શાસન કર્યું હતું. બાદમાં નિઝામો દ્વારા તેલંગાણામાં શાસન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ ભારત છોડ્યા પછી, ઉસ્માન અલી ખાન છેલ્લો નિઝામ હતો. જેમને ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશોનો ભાગ બનવાની વિનંતી કરવામાં આવી હતી, જેના માટે તેઓએ ના પાડી હતી. આ પછી ભારતીય સૈન્યએ રાજ્ય પર કબજો કર્યો અને નિઝામને આત્મસમર્પણ કરવું પડ્યું હતું.
પરંતુ હજી પણ, લાંબા સમયથી તેલુગુભાષી લોકો આંધ્રપ્રદેશથી અલગ તેલંગાણા રાજ્ય ઇચ્છતા હતા. મનમોહનસિંઘના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૧૩ માં બંને સંસદમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ૨ જૂન, ૨૦૧૪ ના રોજ તેલંગાણા એક અલગ રાજ્ય તરીકે બનાવવામાં આવ્યું હતું અને શ્રી કે. ચંદ્રશેખર રાવ તેના પહેલા મુખ્ય પ્રધાન બન્યા હતા. ઇ એસ એલ નરસિહન રાજ્યના પ્રથમ રાજ્યપાલ બન્યા.
તેલંગાણા એ ભારતનું ૧૨ મુ સૌથી મોટું રાજ્ય છે.
અહીં વહેતી કૃષ્ણ નદી પર બનાવેલ નાગાર્જુન સાગર ડેમ એ વિશ્વનો સૌથી મોટો પથ્થર ડેમ છે.
તેલંગાણાની રાજધાની અને સૌથી મોટું શહેર એ હૈદરાબાદ છે. તેલંગાણા રાજ્ય એ ૩૧ જિલ્લાઓ ધરાવે છે.
તેલુગુ તેલંગાણાના 76% લોકો બોલે છે. 12% લોકો ઉર્દૂ બોલે છે અને 12% લોકો અન્ય ભાષાઓ બોલે છે.
આ માહિતી વિરુ ભાઈ દ્વારા લખવામાં આવેલ છે. વાંચવા બદલ તમારો આભાર. આવી જ અવનવી માહિતી વાંચવા માટે અમારી સાઇટની મુલાકાત લેતા રહો.
For Study Material : Click Here
0 ટિપ્પણીઓ