નમસ્કાર મિત્રો....... આજે અમે અહિયાં ખૂબ જ મહત્વના પ્રશ્નો જે તમારે Police Constable ની પરીક્ષામાં કામ આવશે તે અહી મૂકી રહ્યા છે. મિત્રો આ પ્રશ્નો આવનારી Gujarat Police Constable Exam માં કામ લાગશે અને અમે આવા જ બીજા પ્રશ્નો અહી મુક્તા રહીશું. જે તમને ઓનલાઈન અમારી આ સાઇટમા વાંચવા મળી રહેશે.
Gujarat Police Constable Questions Answers In Gujarati :
1) ભારતીય ફોજદારી ધારો 1860 કોના દ્વારા
રચવામાં આવ્યો છે ?
>>લોર્ડ મેકોલે
2) ભારતીય ફોજદારી ધારો 1860 ક્યારથી
અમલમાં આવ્યો ?
>>6-10-1860
3) ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો
છે ?
>>511
4) ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલા
પ્રકરણો છે ?
>>23
5) કોઈ પણ ગુનો બનવા માટેના ચાર પ્રકરણો
જણાવો ?
>> 1) ઇરાદો 2) પ્રયત્ન 3) તૈયારી 4) ગુનો
6) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી
હતા.કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા અત્યંજ(હરીજન) પરિવારનો
સમાવેશ કર્યો હતો ?
>>દૂદાભાઈ અને દાનીબહેન
7) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું
ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું ?
>>સુશ્રી શારદા મુખરજી
8) ગુજરાતમાં ક્યા કાળનાં શિલ્પો બહુ જૂજ
માત્રામાં પ્રાપ્ત થયા છે ?
>>શુંગ કાલીન
9) ગુજરાતનો કયો સુલ્તાન મોગલ બાદશાહ
હુમાયુનો વિરોધી હતો ?
>>બહાદુરશાહ
10) 1731 માં સરસેનાપતિ ત્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે ક્યાં
યુદ્ધ થયું હતું ?
>>ડભોઈ
11) ગુજરાતનાં કયા રાજાએ 12 મી સદીમાં
દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજયમાં મનાઈ ફરમાવી હતી ?
>> કુમારપાળ
12) કાઠીયાવાડના શાહજહા તરીકે કોણ ઓળખાય
છે ?
>> મોરબીના વાઘજી - બીજા
13) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી હતી ?
>> દુર્ગારામ મહેતા
14) અલ્લાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની
ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ?
>> કાન્હદડે પ્રબંધ
15) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ
એન્ટીક્વેરિયન સર્વેની સ્થાપના ઇ.સ. 1881 મા ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ
હતી ?
>> તખતસિંહજી દ્વારા
16) મધ્યકાલીન ભારતમાં “મુહમ્મદાબાદ”
તરીકે પ્રસિદ્ધ સ્થળનું નામ જણાવો ?
>> ચાંપાનેર
17) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો
છે ?
>> દેવની મોરી ખાતે
18) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર
લખાયેલ પુસ્તક કયું છે ?
>> પ્રકાશનો પડછાયો
19) ગુજરાતનાં ભરુચ જીલ્લામાં કઈ જગ્યાએ
દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ?
>> ભાડભૂત
20) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું
છે અને તે ક્યાં આવેલું છે ?
>> સેન્ટ્રલ લાઈબ્રેરી , વડોદરા
21) વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
>> રાજકોટ
22) ‘અજરખ’ છાપકામ શેના ઉપર થાય છે ?
>> કાપડ
23) પ્રથમ અખિલ ભારતીય સંગીત સમ્મેલન
વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ?
>> 1916
24) ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ
તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ?
>> તારંગા
25) ગોળ ગધેડાનો મેળો કયા જીલ્લામાં ભરાય
છે ?
>> દાહોદ
26) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો
સત્યાગ્રહ કર્યો હતો ?
>> ચંપારણ સત્યાગ્રહ
27) ‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ જણાવો ?
>> અવંતિ
28) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા
સત્યો’ શેના પર આધારિત છે ?
>> દુખ અને તેની નાબૂદી
29) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું
હતું ?
>> શાહજહાએ
30) ‘સત્યાર્થ પ્રકાશ’ ગ્રંથ કોણે લખ્યો
છે ?
>> સ્વામી દયાનંદ સરસ્વતી
31) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થકર)
કોણ હતાં ?
>> આદિનાથ (ઋષભદેવ)
32) પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ
જણાવો ?
>> કિક્કાલી
33) કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ?
>> તોડી
34) ભારતીય ફોજદારી ધારામાં 1860 કયા રાજયમાં
લાગુ પડતો નથી ?
>> જમ્મુ-કશ્મીર
35) કેટલા પ્રાદેશિક જળવિસ્તાર સુધી
ભારતીય ફોજદારી અધિનિયમ વિદેશીઓ ઉપર પણ લાગુ પડે છે ?
>> 12 નોટિકલ માઈલ
36) ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં
‘વ્યક્તિની' વ્યાખ્યા આપવામાં આવી છે ?
>> કલમ-11
37) ભારતીય ફોજદારી ધારા મુજબ શું ‘મુર્તિ'
એ એક વ્યક્તિ છે ?
>> હા
38) પન્નાલાલ ઘોષ કયા વાધવાદક હતાં ?
>> વાંસળી
39) નૃત્યના દેવાધિદેવ કોણ હતાં ?
>> નટરાજ
40) બંધારણનાં મુખ્ય કેટલા ભાગ છે ?
>> 22
41) બંધારણમાં પેટા વિભાગો સહિત કુલ કેટલા
ભાગ છે ?
>> 25
42) બંધારણના કયા ભાગમાં નાગરિક્તાનો
ઉલ્લેખ છે ?
>> ભાગ-2
43) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?
>> ખેર
44) ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન
કરવામાં આવે છે ?
>> સપ્ટેમ્બર-ઓક્ટોબર
45) સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા
નામથી ઓળખવામાં આવે છે ?
>> લગૂન
46) ગુજરાતનાં સમુદ્ર તટની અંદાજિત લંબાઈ
કેટલી છે ?
>> 1600 કિમી
47) નર્મદા નદીનું મૂળ કયું છે ?
>> અમરકંટક
48) અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં
આવેલું છે ?
>> અરવલ્લી
49) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં
આવેલ છે ?
>> બનાસ
50) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં
પ્રથમ સ્થાને છે ?
>> એરંડા
51) નવો મોરબી જીલ્લો કયા જિલ્લાના
વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ?
>> રાજકોટ,સુરેન્દ્રનગર અને જામનગર
52) ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર’
કયા જીલ્લામાં આવેલું છે ?
>> કચ્છ
53) ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ
ક્યાં આવેલ છે ?
>> આણંદ
54) ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું
સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ?
>> જામનગર
55) ‘ભારતનો સંત્રી’ એટ્લે શું ?
>> હિમાલય પર્વત
56) પ્રાચીન જેઠવાઓની રાજધાની કઈ હતી ?
>> ધુમલી
57) કવિ શ્રીપાળ કયા રાજાના રાજ્યકવિ હતાં
?
>> સિદ્ધરાજ જયસિંહ
58) વિરમગામ સત્યાગ્રહની આગેવાની કોણે
લીધી હતી ?
>> નાનાભાઇ ભટ્ટ
59) કયા મોગલ બાદશાહે અમદાવાદને ‘ધૂળિયું
શહેર’ ગણાવ્યું હતું ?
>> જહાંગીર
60) હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો
?
>> ધંધુકા
61) ભ્રષ્ટાચાર અધિનિયમ અંતર્ગત કોની
વિનંતી વગર તેને સાક્ષી તરીકે બોલાવી શકાય નહીં ?
>> તહોમતદારને
62) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 માં
કેટલા પ્રકરણ છે ?
>> 5
63) એટ્રોસીટી એક્ટ મુજબ ખાસ અદાલત એટલે ?
0 ટિપ્પણીઓ